अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् ।
पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥
ધન જ અનર્થનું કારણ છે, એ હંમેશાં યાદ રાખજો; એમાંથી અલ્પસુખ પણ મળતું નથી, એને સાચું સમજો;
ધનવાન માણસને પોતાના પુત્રથી પણ ભય રહે છે; આ સર્વકાળે સર્વત્ર જોવા મળે છે.
(દ્વાદશપંજરિકા સ્તોત્ર : શ્લોક : ૨)
त्वयि मयि चान्यत्रैको विष्णुर्व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः ।
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदज्ञानम् ॥
તારામાં, મારામાં, સર્વમાં સર્વત્ર વિષ્ણુ જ રહેલ છે; વ્યર્થ ક્ષોભ કરીને મારા પર શા માટે ગુસ્સે થાય છે?
બધી વસ્તુઓમાં પરમાત્માને જ જુઓ અને ભેદબુદ્ધિ છોડો.
(દ્વાદશપંજરિકા સ્તોત્ર : શ્લોક : ૮)
Your Content Goes Here