રામકૃષ્ણ મિશન – પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ
રામકૃષ્ણ મિશન – પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના બહેનો માટે સિલાઈકામ, એમ્બ્રોઈડરી ભરતગૂંથણ વિગેરેના વર્ગો જુદા જુદા ગામોમાં ચલાવવામાં આવે છે. તેના ભાગરૂપે હાલમાં વિવેકાનંદ સંસ્કારધામ – ભારવાડા ખાતે સિલાઈકામના વર્ગનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૮ બહેનોએ સિલાઈકામ અંગેની સઘન તાલીમ લીધેલ. આ તાલીમના કારણે તેઓ પોતાના સમયે સિલાઈકામ કરી આર્થિક ઉપાર્જન દ્વારા કુટુંબને મદદરૂપ થઈ શકે અને કુટુંબનું જીવનધોરણ સુધારી શકે.
Your Content Goes Here