को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् ।
अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥
આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના દેહમાં પ્રવેશીને હું પોતે જ સતત એમનાં દુ:ખોને ભોગવતો રહું!
(સુભાષિત)
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तःस्थितो येन भवन्त्यदुःखाः ॥
હું ઈશ્વરને અષ્ટ સિદ્ધિઓ માટે કે જન્મમરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરતો નથી. હું એટલું જ ઇચ્છું છું કે હું સર્વ પ્રાણીઓના અંતરમાં પ્રવેશીને તેમના દુ:ખનો ભાર ગ્રહણ કરીને તેમને એનાથી મુક્ત કરું.
(‘શ્રીમદ્ ભાગવત’, ૯.૨૧.૧૨)
Your Content Goes Here