जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता
न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया।
तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥
(‘देव्यपराधक्षमापन स्तोत्र’માંથી)
હે મા! હે જગજ્જનની! તારી કોઈ ચરણસેવા મેં નથી કરી. હે દેવી, મેં કંઈ તારે માટે ત્યાગ પણ કર્યો નથી. ધન પણ છોડ્યું નથી કે ભોગો પણ ત્યજ્યા નથી! છતાંય તું મારા પર આવું અનુપમ હેત રાખે છે! હા, પુત્ર ભલે કુપુત્ર – કૃતઘ્ન બને પણ માતા કદી કુમાતા નથી બનતી!
Your Content Goes Here