परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी निलाद्रौ निहितचरणोऽनन्तशिरसि ।
रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥
પરાત્પર બ્રહ્મ પણ જેની યોગ્યતા સમક્ષ ઓછા ઊતરે, જેમનાં નયનો પ્રફુલ્લિત નીલકમલનાં પર્ણ જેવાં વિશાળ છે, નીલ પર્વત પર જેમનો નિવાસ છે, અનંતનાગના શિશ પર જેમણે પગ રાખ્યો છે, દિવ્યરસથી જે આનંદિત થયા છે, રાધાના ઉત્કૃષ્ટ શરીરના આલિંગનથી સુખલાભ મેળવ્યો છે, એવા પરમેશ્વર જગન્નાથ મારા નયનપથ પર પધારો.
न वै याचे राज्यं न च कनकमाणिक्यविभवं न याचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूम् ।
सदा काले काले प्रमथपतिना गीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥
હું રાજ્યની કામના કરતો નથી, વળી સોના અને રત્નના વૈભવની યાચના કરતો નથી, બધા લોકોને આકર્ષનાર રમણીય એવી શ્રેષ્ઠ વધૂની પણ મને ઇચ્છા નથી, ભગવાન શંકરે જેમનું ચરિત્ર સદાકાળ ગાયું છે એવા પરમેશ્વર જગન્નાથ મારા નયનપથ પર પધારો.
(શ્રીજગન્નાથાષ્ટકમ્ સ્તોત્ર – ૬-૭)
Your Content Goes Here