ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः ।
भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥
જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્ગુરુને નમસ્કાર હો!
अनेक-जन्म-संप्राप्त कर्मेन्धनविदाहिने ।
आत्मज्ञानाग्निदानेन च तस्मै श्रीगुरवे नमः ॥
અનેક જન્મોનાં આવી મળેલાં કર્મોનાં બંધનને આત્મજ્ઞાનરૂપી અગ્નિના દાનથી બાળી નાખનાર – એવા તે સદ્ગુરુને નમસ્કાર હો!
शोषणं भवसिंधोश्च प्रापणं सारसंपदः ।
यस्य पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः ॥
જેમનું ચરણોદક ભવસાગરને શોષી લે છે અને તત્ત્વજ્ઞાનની સમૃદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરાવે છે તે સદ્ગુરુને નમસ્કાર હો!
(શ્રીગુરુસ્તોત્રમ્ – ૮-૧૦)
Your Content Goes Here