प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् ।
असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥
विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां ।
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥
આજીવિકાનો માર્ગ ન્યાયયુક્ત અને તેથી પ્રિય, પ્રાણ જાય તો પણ પાપકર્મમાં પ્રવૃત્ત ન થવું, દુર્જનો પાસે કંઈ માગવું નહિ, અલ્પ ધનવાળા મિત્ર પાસે કોઈ પણ વસ્તુની માગણી ન કરવી, વિપત્તિમાં પણ ઉચ્ચ રીતે રહેવું અને મહાન પુરુષોના પગલે ચાલવું – તલવારની ધાર પર ચાલવા જેવું આવું કઠિન વ્રત સજ્જનોને કોણે શિખવાડ્યું હશે?
प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः ।
प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः॥
अनुत्सेको लक्ष्म्यां निरभिमवसारा: परकथा: ।
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥
ગુપ્તદાન, ઘરે આવેલા અતિથિનું સન્માન, (કોઈકનું) ભલું કરીને મૌન રાખવું, (સ્વયં કરેલા) ઉપકારને સભામાં જાહેર ન કરવો, લક્ષ્મી મળે ત્યારે અભિમાન ન કરવું અને વાતચીતમાં અન્યનું અપમાન ન કરવું-આવું તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન વ્રત સજ્જનોને કોણે શિખવાડ્યું હશે?
(‘સદ્બોધશતક’ – શ્લોક ૩૭-૩૮)
Your Content Goes Here