ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી :
સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી એવા ઉત્કટ આધ્યાત્મિક ભાવમાં નિમગ્ન થઈ ગયેલા કે જાણે એવું જ લાગતું હતું કે એમનું ભૌતિક શરીર આવો ભાવ લાંબો સમય સહન કરી શકશે નહીં; એ વખતે આ કાવ્ય એમણે લખ્યું, અથવા કહો કે એમનાથી લખાઈ ગયું.
આ યાત્રા દરમ્યાન એમની સાથે રહેલાં ભગિની નિવેદિતા કહે છે : ‘એક દિવસે એમણે કહ્યું કે ‘મારું મસ્તિષ્ક વિચારોથી ઊભરાઈ રહ્યું છે અને જ્યાં સુધી આ વિચારોને હું કાગળ ઉપર નહીં ઉતારું, ત્યાં સુધી મારી આંગળીઓ જંપવાની નથી.’ એ જ સાંજે ક્યાંક પર્યટન કરીને અમે અમારી હાઉસ – બોટમાં પાછાં ફર્યાં. અને ત્યારે, જ્યાં તેઓ આવીને લખી ગયેલા ત્યાં ‘કાલી ધ મધર’ ઉપરની હસ્તલિખિત પંક્તિઓ અમારી રાહ જોતી અમને માલૂમ પડી. અમને પાછળથી જાણવા મળ્યું તે મુજબ, પ્રેરણાના આવેશમાં લખતાં લખતાં જ્યારે તેઓએ આ કાવ્ય પૂરું કર્યું, ત્યારે ભાવની ઉત્કટતાથી લોથપોથ થઈને તેઓ ફરસબંધી ઉપર પટકાઈ પડ્યા હતા.’
તારલા બધા સાવ ભૂંસાયા,
વાદળે ઘેરાં વાદળ છાયાં,
બિભીષણ અંધકારની કાયા,
ઝંઝાવાતે –
મોકળે ગળે ગાય હો ગાણાં
છોડી મૂક્યાં પાગલખાનાં –
ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ
ભીમ આઘાતે –
સપાટે બધું થાય સપાટે,
દરિયે દીધી હાકલ ભેળી,
ડુંગર ડુંગર જેવડાં મોજાં અડતાં ઊંચે
આભની મેડી.
વીજળીના ઝબકાર બતાવે
મૃત્યુ ભીષણ,
હજાર મોઢે ઓકતું કાળાં દુ:ખ દાવાનલ;
આનંદ – કેફે નાચે પાગલ !
આવ હે માતા ! આવ કરાળી !
મૃત્યુ તારા શ્ર્વાસે ફૂંકાય;
પદાઘાતે સૃષ્ટિ લોપાય
આવ હે કાલી ! પ્રલય કાળી !
દુ:ખને વરે, મોતને ભેટે,
નાચે સર્વનાશની સાથે
તેને મળતી માતા જાતે
(સ્વા.વિ.ગ્રંથમાળા ભાગ-8 : પૃ. 287 – 88)
Your Content Goes Here