अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्।
तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥

एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसः जवीयः, મન કરતાં વધારે વેગીલું; देवाः, દેવો અથવા તો આંખો વગેરે જેવી જ્ઞાનેન્દ્રિયો; पूर्वम् अर्षत् एनत्, હંમેશાં સૌથી આગળ રહેતા એવા આને; न आप्नुवन्, ઓળંગી શકતા નથી; तत् तिष्ठत्, તે હંમેશાં સ્થિર-અચલ છે, હંમેશાં એકસરખું જ છે; धावतः अन्यान्, બીજાંને જે એકદમ દોડી રહ્યાં છે; अति एति, પાછળ છોડી દે છે, ઓળંગી જાય છે; तस्मिन्, તેના હોવા ઉપર; मातरिश्वा, વાયુ, જીવનશક્તિ, અવકાશમાં રહેતા ઈશ્વર, હિરણ્યગર્ભ (એટલે કે બ્રહ્મનું પ્રથમ વ્યક્તસ્વરૂપ); अपः दधाति, જળ, બધું જ ધારણ કરે છે.

બ્રહ્મ એ એકમાત્ર અદ્વૈત તત્ત્વ છે. એ ક્યારેય ચલિત થતું નથી; આમ છતાં પણ એ મન કરતાં પણ વધુ ઝડપથી ગતિ કરે છે. એ હંમેશાં આગળ ને આગળ જ હોય છે, જ્ઞાનેન્દ્રિયો એને ક્યારેય પકડી શકતી નથી. એ સ્થિર છે, છતાં પણ દોડતા બધાને એ હરાવી દે છે. એની શક્તિથી આકાશમાં રહેતા ઈશ્વર આ અલ્પજીવી જગતનાં જળ અને અન્ય બધા જ પદાર્થોને ધારણ કરે છે. (૪)

(ઈશ ઉપનિષદ)

Total Views: 78
By Published On: September 22, 2023Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.