भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः ।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥
આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે ને એના ભયથી ઈંદ્ર, વાયુ અને પાંચમું મૃત્યુ પોતપોતાના કામમાં પ્રવૃત્ત થઈ રહે છે.
इह चेदशकद्वोद्धुं प्राक्शरीरस्य विस्रसः ।
ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ॥
જો કોઈ સાધક આ મનુષ્ય શરીરનો નાશ થતાં પહેલાં જ પરમેશ્વરને જાણી લે છે, તો તો તેનું જીવન સફળ થઈ જાય છે; અનાદિ કાળથી જન્મમૃત્યુના પ્રવાહમાં પડેલો તે જીવ તેમનાથી છુટકારો પામી જાય છે; નહિ તો પછી તેને અનેક કલ્પો સુધી વિભિન્ન લોક અને યોનિઓમાં શરીર ધારણ કરવા માટે ફરજ પડે છે. આથી માણસે મરણ આવતાં પહેલાં જ પરમાત્માને જાણી લેવો જોઈએ.
(કઠોપનિષદ : ૨/૩/૩-૪)
One Comment
Leave A Comment
Your Content Goes Here
તદ્દન સાચી વાત. માણસ મોહ માયાનાં જાળાંમાં સતત ગૂંથાયેલો રહે છે. જો મરણ આવ્યા પહેલાં એ પ્રભુ શરણમાં જઈને અધ્યાત્મ માર્ગે વળે, તો જીવન ધન્ય બની જાય.
-પરથીભાઈ ચૌધરી,”રાજ”