સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરનારા, ગૌરદેહ અને કમલનેત્ર ધારણ કરનારા, દેવ સ્વરૂપ, લોકકલ્યાણકારી, પ્રચંડ જ્યોતિસ્વરૂપ એવા સ્વામી વિવેકાનંદનું ધ્યાન કરીએ.

(‘स्‍तवनांजलि : श्रीविवेकानन्दस्‍तोत्राणि’, પૃ. ૧૩૯)

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.