શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૨ જુલાઈ ૨૦૦૩ના રોજ આયોજિત યુવસંમેલનનું સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રા, સ્વામી જિતાત્માનંદજી અને ગુજરાતધારાસભાના અધ્યક્ષશ્રી દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરે છે. ૭૦૦ યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનોઓએ તેમજ શિક્ષકોએ આ સંમેલનનો લાભ લીધો હતો.
૧૯ જુલાઈના રોજ કલ્યાણ હાઈસ્કૂલ, રાજકોટનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને મૂલ્યનિષ્ઠ કેળવણીના વર્ગમાં સ્વામી જિતાત્માનંદજીનું સંબોધન
‘વિદ્યાર્થીનારાયણ સેવા’ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાની ૭ શાળાઓના ૧૦૧૨ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તથા પાઠ્યપુસ્તકો વગેરેનું વિતરણકાર્ય તેમજ ૫ શાળાઓમાં સ્વામી વિવેકાનંદની મોટા કદની છબિ ૨૩ જુલાઈ સુધીમાં ભેટ આપવામાં આવ્યાં હતાં.
Your Content Goes Here