संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥
सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन ।
मा घोषा उत्स्थुर्बहुले विनिर्हते मेषुः पप्तदिन्द्रस्याहन्यागते ॥
(अथर्ववेद: ७.५२)
આપણા દેશબાંધવો વચ્ચે સુસંવાદિતા રહો; વિદેશીજનો સાથે પણ સમભાવ રહો; હે અશ્વિનો! અમને પરસ્પર (સાંધતાં) જ્ઞાન અને પ્રેમ આપો. અમારાં મન અને અમારા ઉદ્દેશો એક સમાન બનો. અમારી ભીતર રહેલા દિવ્યતત્ત્વ સાથે અમે ન ઝઘડીએ તેવું કરો. રણયુદ્ધની કત્લેઆમનો કોલાહલ પણ અમારામાં ન ઉદ્ભવે અને રણાંગણમાંથી સાંધ્યસમયે કોઈ રાજાનું ધનુષ્ય અમારા પર ન વછૂટે, એવું કરજો.
Your Content Goes Here