शंकरं शंकराचार्य केशवं बादरायणम् ।
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥
અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા વેદાંત સૂત્રોનું ભાષ્ય આપનારા ભગવત્પાદ શ્રીશંકરાચાર્યના રૂપે અવતાર ધારણ કરનારા ભગવાન શ્રીશંકર, એ બંનેને હું વારંવાર પ્રણામ કરું છું.
श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयम् ।
नमामि भगवत्पादं शंकरं लोकशंकरम् ॥
શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોમાં સન્નિહિત સમગ્ર જ્ઞાનના ભંડાર રૂપ, જગત પર મંગલવૃષ્ટિ કરનારા, દયામૂર્તિ, ભગવત્પાદ શ્રીશંકરાચાર્યની હું વંદના કરું છું.
Your Content Goes Here