पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् ।
इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥

આ સંસાર જન્મોને લીધે તરવો મુશ્કેલ છે; તેમાં ફરી જન્મ, ફરી મરણ અને ફરી માતાના પેટમાં સૂવાનું થયા જ કરે છે; તો હે મુરારે – ભગવન્‌! કૃપા કરી અપાર સંસારમાં મારી રક્ષા કરો.

पुनरपि रजनी पुनरपि दिवस: पुनरपि पक्ष: पुनरपि मास: ।
पुनरप्ययनं पुनरपि वर्षं तदपि न मुञ्चत्याशामर्षम् ॥

ફરી રાત, ફરી દિવસ, ફરી પખવાડિયું, ફરી મહિનો, ફરી અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન) તથા ફરી વર્ષ-આવ્યે જ જાય છે; તોપણ પ્રાણી આશાના સંબંધને છોડતો નથી.

वयसि गते क: कामविकार: शुष्के नीरे क: कासार: ।
नष्टे द्रव्ये क: परिवारो ज्ञाते तत्वे क: संसार: ॥

ઉંમર વીતી જાય, ત્યારે કામવિકાર શો? પાણી સુકાઈ જાય એટલે તળાવ કેવું? ધન નાશ પામે એટલે પરિવાર કેવો? અને તત્ત્વ (આત્મા) જણાય ત્યારે સંસાર કેવો? (નથી જ.)

(ચર્પટપંજરિકા-સ્તોત્ર – ૮-૧૦)

Total Views: 40
By Published On: May 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.