तुल्यलोष्ट कांचनम् च हेय नेय धी गतं स्त्रीषु नित्य मातृरुप शक्तिभाव भावुकम्।
ज्ञान भक्ति भुक्ति मुक्ति शुद्ध बुद्धि दायकं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् ।।

જેઓ માટીના ઢેફામાં અને સોનામાં સમાન દૃષ્ટિથી જોતા હતા, જેમના મનમાંથી ત્યાજ્ય અને ગ્રાહ્ય બુદ્ધિનો લોપ થઈ ગયો હતો, જેઓ દરેકે દરેક સ્ત્રીમાં સદા જગત જનનીની મહાશક્તિનો અનુભવ કરતા હતા, (એવા) જ્ઞાન, ભક્તિ, મુક્તિ, લૌકિક પારલૌકિક સુખ અને શુદ્ધ બુદ્ધિ આપનાર દેવાધિદેવ ભગવાન શ્રીરામકૃષ્ણને હું પ્રણામ કરું છું.

सर्व धर्म गम्य मूल सत्य तत्त्व देशकं सिद्धसर्वसंप्रदाय सांप्रदायवजिर्तम्।
सर्वशास्त्र मर्मदशिर् सर्वविन्निरक्षरं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् ।।

બધા ધર્માે દ્વારા થતાં એક સત્ય વસ્તુના જ્ઞાનરૂપ પરમતત્ત્વના જે ઉદ્બોધક હતા, જેઓ બધા સંપ્રદાયોની સાધના કરવા છતાં પણ સંપૂર્ણપણે સાંપ્રદાયિકતા વગરના રહ્યા હતા, જેઓ સકલ શાસ્ત્રોના રહસ્ય જાણતા હતા, જેઓ નિરક્ષર હોવા છતાં સર્વજ્ઞ હતા એવા દેવાધિદેવ ભગવાન શ્રીરામકૃષ્ણને હું પ્રણામ કરું છું.

(‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર દશકમ્’, શ્લોક ૫-૬)

Total Views: 394

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.