श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥

यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः उ प्राणस्य प्राणः। चक्षुसः चक्षुः।
एवं विदित्वा श्रोत्रादिषु आत्मभावम् अतिमुच्य धीराः अस्मात् लोकात् प्रेत्य अमृताः भवन्ति॥

यत्‌ તે | श्रोत्रस्य श्रोत्रम्‌ કાનનો પણ કાન (એટલે કે શ્રોત્રેન્દ્રિય પાછળ રહેલી સાચી શક્તિ) | मनस: मन: મનનું પણ મન (એટલે કે મનની પાછળની સાચી શક્તિ) | वाच: ह वाचम्‌ જે વાણીની પણ વાણી છે (એટલે કે જે વાગિન્દ્રિયની પાછળ રહેલી સાચી શક્તિ છે) | स उ प्राणस्य प्राण: શ્વાસનો પણ શ્વાસ (એટલે કે શ્વાસ પાછળ રહેલી સાચી શક્તિ) | चक्षुष: चक्षु: આંખની પણ આંખ (એટલે કે નેત્રેન્દ્રિયની પાછળ રહેલી શક્તિ) | धीरा: ડાહ્યા મનુષ્યો, વિવેકશીલ પુરુષો | अतिमुच्य છોડીને (એટલે કે ઇન્દ્રિયો પોતાના અસ્તિત્વનો એક ભાગ છે – અંશરૂપ છે – એવા ખ્યાલને છોડી દઈને) | अस्मात्‌ लोकात्‌ આ લોકમાંથી | प्रेत्य અહીંથી છૂટા પડીને | अमृता: भवन्ति અમર બની જાય છે

(ગુરુ કહે છે: ) એ બ્રહ્મ કર્ણેન્દ્રિયની પણ કર્મેન્દ્રિય છે, એ મનનું પણ મન છે, વાણીની પણ વાણી છે, શ્વાસોનો પણ શ્વાસ છે, અને આંખની પણ આંખ છે. એટલા માટે શાણા વિવેકશીલ પુરુષો પોતે ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, એવો ખ્યાલ છોડી દઈને આ જગતમાંથી અલગ થઈ જાય છે, એટલે આ જગતનો ત્યાગ કરી દે છે અને તેઓ અમર બની જાય છે.

(કેન ઉપનિષદ, 1.2)

Total Views: 560

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.