निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोह:
अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन्।
सुविमलगगनाने ईशसंस्थेऽप्यनीशे
मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः।।१।।

જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં છે,
જેઓ વિમળ ગગન સમાન છે, જેઓ જગતના ઈશ્વર સ્વરૂપ થઈને સ્થિત છે,
પરંતુ જેમનો બીજો કોઈ નિયન્તા નથી, એ મહાદેવમાં મારો દૃઢ અને ઉજ્જ્વળ પ્રેમ થાઓ.

निहतनिखिलमोहेऽधीशता यत्र रूढा प्रकटितपरप्रेम्णा यो महादेवसंज्ञः।
अशिथिलपरिरंभः प्रेमरूपस्य यस्य प्रणयति हृदि विश्वं व्याजमात्रं विभुत्वम्॥२।।

જેમણે સમસ્ત અજ્ઞાનનો નાશ કર્યો છે, જેમનામાં (સ્વાભાવિક રીતે) ઈશ્વરત્વ અવસ્થિત છે,
(હળાહળનું પાન કરી જગતના જીવો પ્રત્યે) પરમ પ્રેમ પ્રગટ કરવાથી જેઓને મહાદેવ નામથી સંબોધવામાં આવે છે,
જે પ્રેમસ્વરૂપના દૃઢ આલિંગનથી સમસ્ત ઐશ્વર્ય આપણા હૃદયમાં માયામાત્રરૂપે ભાસમાન થાય છે, તે મહાદેવમાં મારો દૃઢ અને ઉજ્જ્વળ પ્રેમ થાઓ.

वहति विपुलवातः पूर्वसंस्काररूप:
विदलति बलवृन्दं घूर्णितेवोर्मिमाला।
प्रचलति खलु युग्मं युष्मदस्मत्प्रतीतम्‌
अतिविकलितरूपं नौमि चित्तं शिवस्थम्॥३।।

જેમાં પૂર્વસંસ્કારરૂપી પ્રબળ વાયુ વહે છે, જે ઘૂર્ણાયમાન તરંગોની જેમ બળવાન વ્યક્તિઓને પણ ચલિત કરી દે છે,
જેમાં ‘તું અને હું’ના રૂપમાં ભાસમાન થનારું દ્વંદ્વ ચાલી રહ્યું છે, તે શિવમાં સંસ્થાપિત અતિશય ચંચલરૂપના ચિત્તની હું વંદના કરું છું.

(સ્વામી વિવેકાનંદ રચિત ‘શિવ સ્તોત્ર’માંથી, 8.237)

 

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.