अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् ।
ऋचो यजू ्ँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ।।6।।
જેવી રીતે રથના પૈડાંની ધરીમાં લાગેલા આરા ધરી પર આધાર રાખે છે, તેવી રીતે ઋગ્વેદની ઋચાઓ, યજુર્વેદના મંત્રો, સામવેદનાં ગાન,
વૈદિક વિધિવિધાનો, યજ્ઞાદિ શુભ કર્મ કરનારા બ્રાહ્મણો અને ક્ષત્રિયો વગેરે અધિકારીવર્ગ – એ બધું જ પ્રાણ પર આધારિત છે.
प्रजापतिश्चरसि गर्भे त्वमेव प्रतिजायसे ।
तुभ्यं प्राण प्रजास्त्विमा बलिं हरन्ति यः प्राणैः प्रतितिष्ठसि ।।7।।
હે પ્રાણ ! પ્રજાપતિ તમે જ છો, તમે માતાના ગર્ભમાં રહેલા છો; તમે તમારા માતાપિતામાંથી તેમના જેવા જ થઈને જન્મ લો છો.
તમે દરેક શરીરમાં ઇન્દ્રિયોના સ્વામી તરીકે છો. માનવો જેવાં બધાં પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોની સહાયથી તમારે માટે પોતાના ઉપહારો તમને ધરે છે.
(પ્રશ્ન ઉપનિષદ : ૨.૬,૭)
Your Content Goes Here