ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः।
ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निवार्णसुखं समृच्छति ।।70।।
ત્યાર પછી મનનશીલ સાધક-મુનિએ ગુરુ પાસેથી આત્માના સ્વરૂપ વિશે વેદાંતનાં મહાવાક્ય સાંભળવાં જોઈએ. ત્યાર પછી તેનું મનન કરવું જોઈએ અને ત્યાર બાદ દીર્ઘકાળ સુધી નિત્ય નિરંતર એ આત્માનું ધ્યાન કરવું જોઈએ. ત્યાર બાદ વિદ્વાન સાધક નિર્વિકલ્પ પરબ્રહ્મને પ્રાપ્ત કરીને આ જીવનમાં નિર્વાણનું સુખ અનુભવે છે.
यद्बोद्धव्यं तवेदानीमात्मानात्मविवेचनम् ।
तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय ।।71।।
આત્મા તથા અનાત્મા વચ્ચેના ભેદને તારે વિચારપૂર્વક સમજવાની આવશ્યકતા છે, એ જ વાત હું કહું છું.
એને બરાબર ધ્યાનથી સાંભળીને પોતાના ચિત્તમાં દૃઢતાથી ધારણ કર.
मज्जास्थिमेदःपलरक्तचर्मत्वगाह्वयैर्धातुभिरेभिन्वितम् ।
पादोरुवक्षो भुजपृष्ठमस्तकैरङ्गैरुपाङ्गैरुपयुक्तमेतत् ।।72।।
મજ્જા, અસ્થિ, મેદ, માંસ, રક્ત, ચર્મ કે ત્વચા નામની ધાતુઓથી જોડાયેલ
પગ, જાંઘ, છાતી, હાથ, પીઠ, માથું આ બધાં અંગો અને ઉપાંગો (છે).
Your Content Goes Here