ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી)

શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાં1શ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી સાહેબે કરાવ્યું હતું, પછીથી રાણી રાસમણિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૮૬૯ અથવા ૧૮૭૦ માં પોતાના ભત્રીજા અક્ષયના મૃત્યુ સુધી શ્રીરામકૃષ્ણ આ ઓરડામાં રહેતા હતા પ્રવેશ કરીને ભાણેજ હૃદયરામને બોલાવ્યો અને કહ્યું, ‘ઘાટના કિનારા પર તું ચાલ્યો જા, ત્યાં તું એક ભૈરવીને2તાંત્રિક સંપ્રદાયની એક સંન્યાસિની બેઠેલી જોઈશ. એને બોલાવીને અહીં લઈ આવ.’

એમનો આ આદેશ સાંભળીને હૃદયે સંકોચપૂર્વક કહ્યું, ‘તે સ્ત્રી અપરિચિત હશે. બોલાવવાથી જ ભલા કેમ ચાલી આવે?’ એક અપરિચિત સંન્યાસિની સાથે વાર્તાલાપ કરવા માટે મામાજીનો આવો આગ્રહ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આના પહેલાં તેણે ક્યારેય એમને આવું કરતા જોયા ન હતા.

શ્રીરામકૃષ્ણે ફરીથી ભારપૂર્વક કહ્યું, ‘તું જા; તેને મારી વાત કહે એટલે એ અહીં આવશે.’

* * *

ઈ.સ. ૧૮૬૧ની ૧૯મી ફેબ્રુઆરીના રોજ રાણી રાસમણિના દેહાવસાનના થોડા દિવસો પછીની વાત હશે. આ સમય સુધીમાં શ્રીરામકૃષ્ણ પોતાના અંતઃકરણની પ્રેરણાથી ઘણી બધી આધ્યાત્મિક અનુભૂતિઓ મેળવી ચૂક્યા હતા. ત્યાર પછી પોતાની જન્મભૂમિ કામારપુકુરમાં થોડો સમય વિશ્રામ કરવા પણ ગયા હતા. પાંચ વર્ષનાં શારદામણિ સાથે એમના વિવાહ3આ વિવાહ સગાઈનો જ એક પ્રકાર હતો થઈ ગયા હતા અને દક્ષિણેશ્વર પાછા આવ્યા બાદ ફરીથી પોતાની કઠોર સાધનાઓમાં ડૂબી ગયા હતા. આ વિષયમાં સ્વામી સારદાનંદજી લખે છે,

‘શ્રીજગદંબાને હરહંમેશ દરેકની અંદર કેવી રીતે જોઈ શકું, એ એક જ બાબતે મનનો કબજો લીધો. રાત દિવસ સ્મરણ, મનન, જપ-ધ્યાનને લીધે એમની છાતી ફરીવાર હરહંમેશ લાલચોળ રહેવા માંડી; સંસાર અને સાંસારિક વિષયની વાતો ઝેર સમી લાગવા માંડી; કાળઝાળ બળતરા ફરી એક વાર શરીરમાં શરૂ થઈ અને આંખોને ખૂણેથી નિંદર કોણ જાણે ક્યાંય આઘી સરકી ગઈ!… કોલકાતાના સુપ્રસિદ્ધ વૈદરાજ ગંગાપ્રસાદે ઠાકુરના વાયુપ્રકોપ, અનિદ્રા અને ગાત્રદાહ વગેરે રોગોને મટાડવા આ વખતે અનેક પ્રકારનાં ઔષધ અને તેલના ઉપચાર કર્યા… એમના અસાધારણ રોગને માટે ચિંતાતુર થઈને જાત જાતના ઉપચાર કરાવેલા, પણ રોગ મટવાને બદલે દિવસે દિવસે વધતો જ ચાલ્યો.’4શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગ, 2.9.12

એક દિવસ પ્રાતઃકાળમાં શ્રીરામકૃષ્ણ પોતાની દિનચર્યા અનુસાર ગંગાકિનારા પર આવેલ ઉદ્યાનવાટિકામાં પુષ્પ-ચયન કરતાં કરતાં એક ભજન ગાઈ રહ્યા હતા. એટલામાં એમણે જોયું કે એક હોડી ‘બકુલતલા ઘાટ’5દક્ષિણેશ્વરમાં ગંગાકિનારા પર નોબતખાનાની પાસે બકુલનું ઝાડ હોવાને કારણે આવું નામ પડ્યું. ઉપર આવી. એક ભૈરવી એમાંથી ઊતરી અને પગથિયાં ચડીને ધીરે ધીરે દક્ષિણના મુખ્ય ઘાટની ચાંદની તરફ આગળ વધી. શ્રીરામકૃષ્ણ તેને જોતાંવેંત વ્યાકુળ થઈ ગયા, જાણે ઘણા જ વખતથી એમની રાહ જોઈ રહ્યા હોય. તેઓ ઝડપથી પોતાના ઓરડામાં પાછા ફર્યા.

સંભાવના છે કે શ્રીરામકૃષ્ણને ભૈરવીના આગમનનો પૂર્વાભાસ થયો હોય. સંભવ છે કે શ્રીરામકૃષ્ણે પોતાની સૂક્ષ્મ યોગશક્તિથી પોતાના જીવનમાં ભૈરવીનાં સંબંધનું મહત્ત્વ જાણી લીધું હોય. સ્વામી સારદાનંદજી લખે છે, ‘ઠાકુરની પાસેથી સાંભળ્યું છે કે ભૈરવીની ઉંમર ત્યારે ચાલીસની આસપાસની હશે. પોતીકા માણસને જોઈને લોકો જે પ્રકારનું વિશેષ આકર્ષણ અનુભવે, એવો જ અનુભવ ભૈરવીને જોતાં એમને થયો.’6લીલાપ્રસંગ, 2.10.8

***

હૃદય પોતાના પાગલ મામાના સ્વભાવથી સારી રીતે પરિચિત હતો. એટલા માટે એમના હુકમનું પાલન કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એને કહેવામાં આવેલ જગ્યા પર જઈને જોયું કે ભગવાં વસ્ત્ર ધારણ કરેલી, છૂટા લાંબા કેશવાળી, ભૈરવીનો વેશ સજેલી એક સુંદર સ્ત્રી ઊતરી. તેના ગળામાં રુદ્રાક્ષની માળા છે, એક હાથમાં તાડના પાનની બનેલી ટોપલીમાં થોડીક સાડીઓ અને પૂજાની સામગ્રી છે. બીજા હાથમાં કપડાંમાં બાંધેલી થોડીક પોથીઓ છે.7વૈકુંથનાથ સાન્યાલ કૃત, ‘શ્રીશ્રીરામકૃષ્ણ-લીલામૃત (બંગાળી) પ્ર.સં., પાના ૩૩ એના વ્યવહારથી પ્રતીત થાય છે કે તે કોઈ પ્રતિષ્ઠિત પરિવારની છે. હૃદયે તેને કહ્યું, ‘મારા મામા ઈશ્વર-ભક્ત છે, તેઓ આપનાં દર્શન કરવા ઇચ્છે છે.’

આ પછીના ઘટનાક્રમોમાં હૃદયરામને વિસ્મયમાં મૂકવા માટે ઘણું બધું હતું. એને ત્યારે ઘણું જ આશ્ચર્ય થયું, જ્યારે ભૈરવી કોઈ પ્રશ્ન કર્યા વિના એની સાથે શ્રીરામકૃષ્ણના ઓરડાની તરફ ચાલવા તૈયાર થઈ.8રોમાં રોલાંનાં નીચે જણાવેલ કથનોથી એ સ્પષ્ટ થાય છે કે આ રીતે દૈવયોગથી સંપન્ન થવાવાળી ઘટનાઓ ઉપર વિશ્વાસ કરવામાં આધુનિક સંશયવાદીઓને કેટલી મુશ્કેલીઓ પડે છે, ‘અલિફલૈલામાં વર્ણવેલ કિસ્સાઓની જેમ સહજ સુંદર રૂપમાં વર્ણિત આ મિલન-કથા યુરોપીય વાચકોના મનમાં સંદેહ પેદા કરે છે. મેક્સમૂલરની જેમ તેઓ આ દંતકથામાં શ્રીરામકૃષ્ણના માનસિક વિકાસનું પ્રતીક જુએ છે. પણ છ વર્ષના લાંબા સમય સુધી જે આ શિક્ષિકા રામકૃષ્ણની સાથે રહી, એ સમયમાં એમના વ્યક્તિત્વમાં અનેક એવાં વ્યક્તિગત લક્ષણો દૃષ્ટિગોચર થાય છે (જો કે સર્વદા એમના માટે ગૌરવસૂચક નથી) જેનાથી એ વાતમાં કોઈ સંદેહ રહેતો નથી કે તે વાસ્તવમાં એક સ્ત્રી હતી, અને સ્ત્રી-સુલભ દુર્બળતાઓ પણ એનામાં વિદ્યમાન હતી.’ (રોમાં રોલાં; ‘રામકૃષ્ણ પરમહંસ,’ લોકભારતી પ્રકાશન, અલ્લાહાબાદ, ત્રીજું સં. પાના ૬૨) ભૈરવી વર્તમાન પૂર્વ બંગાળના જૈસોર જિલ્લાની એક પ્રતિષ્ઠિત પરિવારની બ્રાહ્મણી હતી. તે વિષ્ણુભક્ત અને ઉચ્ચ સાધિકા હતી. તે તાંત્રિક અને વૈષ્ણવ સાહિત્યની પરમ વિદુષી હતી. એનું નામ યોગેશ્વરી હતું.9રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એનો ફક્ત ‘બ્રાહ્મણી’ કહીને ઉલ્લેખ કરતા હતા. જીવનચરિત્રના લેખકો ઘણી વાર ‘ભૈરવી બ્રાહ્મણી’ અને ઘણી વાર ફક્ત ‘બ્રાહ્મણી’ એવો ઉલ્લેખ કરે છે. લાગે છે કે એના પૂર્વાશ્રમ વિશે દક્ષિણેશ્વરમાં કોઈ જાણતું ન હતું. ‘એમણે આટલું શાસ્ત્રાધ્યયન વગેરે કર્યું અને સાધનામાં પણ આટલી બધી ઉન્નતિ ક્યાંથી ક્યારે પ્રાપ્ત કરી તેની પણ અમારામાંથી કોઈનેય કશી જાણ નથી.’10લીલાપ્રસંગ, 3.8.7 ભૈરવીએ ક્યારેક જ પોતાના વિશે કંઈક કહ્યું હતું.

શ્રીરામકૃષ્ણને જોતાંવેંત જ ભૈરવી આનંદ અને વિસ્મયથી અધીર થઈ ગઈ; એનાં નેત્રો સજળ બની ગયાં. એની આ વિહ્વળતાના રહસ્યનું કારણ એના શબ્દોમાં દેખાય છે. પોતાના ભાવોને સંયમિત કરવામાં સમર્થ થયા બાદ તે કહેવા લાગી, ‘બાબા, તો તમે અહીં છો! એ જાણીને કે તમે ગંગાકિનારે છો, હું તમને શોધી રહી હતી, આટલા દિવસો પછી તમારી ભાળ મળી.’ શ્રીરામકૃષ્ણે પૂછ્યું, ‘મા, તમને મારા વિશે કેવી રીતે જાણવામાં આવ્યું?’ ભૈરવી બોલી, ‘મારે તમને ત્રણ જણાને મળવાનું હતું. આ વાત મને જગદંબાની કૃપાથી પહેલાથી જ વિદિત થઈ ગઈ હતી. બે11એમનાં નામ હતાં – ‘ચંદ્ર’ અને ‘ગિરિજા’. બન્ને બારીસાલ જિલ્લાના હતા, જે અત્યારે બાંગ્લાદેશમાં છે. એમણે કેટલીક આધ્યાત્મિક સાધનાઓ કરી હતી, પરંતુ પછીથી સિદ્ધિઓના ચક્કરમાં પડી ગયા હતા. તે લોકો પછીથી શ્રીરામકૃષ્ણને મળ્યા હતા, એથી એ બન્નેને ઘણો જ લાભ થયો હતો. વ્યક્તિઓની પૂર્વ બંગાળમાં આ પહેલાં જ મુલાકાત થઈ ગઈ છે, અને અહીં તમારી સાથે પણ મુલાકાત થઈ ગઈ.’

શ્રીરામકૃષ્ણે આગંતુકનું ઘણા આદર સાથે સ્વાગત કર્યું હતું. એવું માની શકાય કે શ્રીરામકૃષ્ણે નીચે નમીને ભૈરવીને પ્રણામ કર્યા હશે, કારણ કે પોતાના સ્વભાવથી જ દરેક નારીમાં તેઓ સાક્ષાત્‌ જગદંબાને જોતા હતા. સ્પષ્ટરૂપે ભૈરવીએ પણ પ્રથમ દર્શનમાં જ શ્રીરામકૃષ્ણ પ્રત્યે ઊંડો અનુરાગ અનુભવ્યો હતો.

ભૈરવીએ પોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. તેણે પોતાના જીવનનો ઉદ્દેશ સમજાવ્યો. બારીસાલના ગિરિજા અને ચંદ્રને આવશ્યક સાધના શીખવીને તેણે પોતાનો ઉદ્દેશ આંશિક રીતે પૂર્ણ કર્યો હતો અને હવે જ્યારે શ્રીરામકૃષ્ણ મળી ગયા હતા, એટલે એનો તે ઉદ્દેશ પૂર્ણરૂપે સંપન્ન થઈ જશે. એ વાત સ્પષ્ટ છે કે ભૈરવીની દિવ્ય યૌગિક દૃષ્ટિએ એને તે સમજવામાં મદદ કરી હશે કે શ્રીરામકૃષ્ણ કેવા પ્રકારના અદ્વિતીય આધ્યાત્મિક સાધક હતા.12આ ફકરો ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત’ (બંગાળી), પાના ૨૪ ઉપર આધારિત છે

ભૈરવીએ આગળ કહ્યું કે તેણે પહેલાંથી જ જોઈ લીધું હતું કે જ્યારે શ્રીરામકૃષ્ણ પુષ્પો ચૂંટી રહ્યા હતા, ત્યારે ચાલતી વખતે એમનો ડાબો પગ પહેલો પડતો હતો. એ જોઈને એને લાગ્યું કે જાણે શ્રીમતી રાધિકા જ વૃંદાવનમાં સોનાની ટોપલીમાં ફૂલો ચૂંટી રહી છે.13ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત (બંગાળી), સ્રોત – હૃદયરામ

ત્યારે શ્રીરામકૃષ્ણ ભૈરવીની નજીક બેસીને, બાળક જેવી રીતે આનંદિત થઈને મનની વાત પોતાની જનનીની સમક્ષ વ્યક્ત કરે છે, તેવી રીતે શ્રીરામકૃષ્ણ પોતાનાં અલૌકિક દર્શનો, ઈશ્વર-ચર્ચાના સમયે બાહ્યજ્ઞાનનો લોપ થવો, અંગદાહ, અનિદ્રા, શારીરિક વ્યાધિ જેવી નિત્ય થતી બાબતો વિશે વારંવાર એ પૂછવા લાગ્યા, ‘કહો તો કે મને આવું કેમ થાય છે? શું હું સાચેસાચ પાગલ થઈ ગયો છું? જગદંબાને હૃદયથી પોકારવાને લીધે શું મને સાચેસાચ જ કઠિન રોગ થઈ ગયો છે?’

ભૈરવી એમની વાતોને સાંભળતી સાંભળતી ક્યારેક માની જેમ ઉત્તેજિત, ક્યારેક ઉલ્લાસમયી તો ક્યારેક કરુણાર્દ્ર બનીને એમને સાંત્વના આપીને વારંવાર કહેવા લાગી, ‘બાબા, કોણ તમને પાગલ કહે છે? આ તમારું પાગલપન નથી, તમારી અંદર મહાભાવનો ઉદય થયો છે. એટલા માટે તમારી આવી અવસ્થા થઈ છે. શું આ અવસ્થા બીજું કોઈ સમજી શકે તેમ છે? એટલા માટે લોકો મનમાં આવે એવી વાતો કરી રહ્યા છે. શ્રીમતી રાધિકાની અને ચૈતન્ય મહાપ્રભુની પણ આવી અવસ્થા થઈ હતી. આ વાત ભક્તિશાસ્ત્રમાં વિદ્યમાન છે. મારી પાસે તે બધી પોથીઓ છે, એમાંથી હું તમને બતાવીશ. જેમણે ઈશ્વરને અંતઃકરણથી પોકાર્યા છે, એ બધાંની જ આવી અવસ્થા થઈ છે.’ ભૈરવી બ્રાહ્મણી તથા પોતાના મામાને આ રીતે ઘનિષ્ઠ આત્મીયની જેમ વાર્તાલાપ કરતાં જોઈને હૃદયના આશ્ચર્યનો પાર ન રહ્યો. જ્યારે એણે સાંભળ્યું કે મામાને કોઈ જાતનો સ્નાયુ-વિકાર નથી, પણ તે એક અસાધારણ આધ્યાત્મિક અવસ્થા છે, જેને ‘મહાભાવ’ કહે છે; તેમાં ઓગણીસ શારીરિક લક્ષણો—જેમ કે અશ્રુપાત, દેહકંપન, રોમાંચ, પ્રસ્વેદન, અંગદાહ, વગેરે—જોવામાં આવે છે, તો તે આશ્ચર્યથી સ્તંભિત રહી ગયો.

આ રીતે ઘણા આનંદમાં14ગુરુદાસ બર્મન અનુસાર (શ્રીરામકૃષ્ણ-ચરિત, પાના ૫૫) ભૈરવી બ્રાહ્મણીએ આ અવસર પર ‘શ્રીચૈતન્ય-ચરિતામૃત’માંથી વાક્યો ટાંકીને પોતાના કથનની પુષ્ટિ કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુની જેમ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે. થોડોક સમય વિતાવ્યા પછી શ્રીરામકૃષ્ણે જોયું કે ઘણો જ વિલંબ થઈ ગયો છે અને દિવસ ઘણો જ ચઢી ગયો છે. વિદુષી ભૈરવી પાસેથી એ સાંભળીને કે એમનું જે કષ્ટ છે તે આધ્યાત્મિક સાધનાની પ્રગતિનું જ સૂચક છે, એમની ઘણી બધી ચિંતાઓનો ભાર હળવો થઈ ગયો.

શ્રીરામકૃષ્ણે બ્રાહ્મણીને જલપાન માટે દેવીનો પ્રસાદ આપ્યો. શ્રીરામકૃષ્ણ પ્રત્યે દિવ્ય વાત્સલ્યની અનુભૂતિને કારણે, એમને ખવડાવ્યા વિના પોતાને ખાવાનું ભૈરવીને ઠીક ન લાગ્યું, એટલે શ્રીરામકૃષ્ણે એમાંથી થોડોક ભાગ પહેલાં લીધો. ભૈરવી બ્રાહ્મણીએ જુદાં જુદાં મંદિરોમાં દેવદર્શન કર્યા પછી પોતે પ્રસાદ ગ્રહણ કર્યો.

એ સત્ય છે કે મહદ્દંશે આધ્યાત્મિક પુરુષોના જીવનમાં બાહ્યરૂપે વિશેષ કંઈ જોવા મળતું નથી, શ્રીરામકૃષ્ણ જેવી આધ્યાત્મિક વિભૂતિ અંગે તો આ એથી પણ વધારે સત્ય છે. પોતાની નજર સમક્ષ જે બની રહ્યું હતું, એ જોઈને હૃદયરામ તો વિસ્મિત ઊભો હતો અને વિચારતો હતો કે બ્રાહ્મણીનું દક્ષિણેશ્વરમાં આવવું ઈશ્વરની અદ્‌ભુત લીલાનું જ અંગ હોવું જોઈએ. પોતાના મામાના કહેવાથી તેણે મંદિરના ભંડારમાંથી ભિક્ષારૂપે લોટ, ચોખા વગેરે લાવીને ભૈરવી બ્રાહ્મણીને આપ્યાં, જેથી રસોઈ બનાવીને પોતાના ગળામાં ધારણ કરેલ શ્રીરઘુવીર શિલાને ભોગ ધરાવી શકે.

બ્રાહ્મણીએ પંચવટીમાં રસોઈ બનાવી અને શ્રીરઘુવીરને ભોગ ધરાવ્યો. અનુષ્ઠાનના ભાગરૂપે તે પોતાના ઇષ્ટદેવનું ચિંતન કરવા લાગી અને તુરત જ ઊંડા ધ્યાનમાં સરી પડી; ધ્યાનમાં તેને એક અભુતપૂર્વ દર્શન થયું. એનાં બન્ને નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી અને બાહ્યજ્ઞાન લુપ્ત થઈ ગયું. એ વખતે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફથી એક અદમ્ય ખેંચાણનો અનુભવ કરવા લાગ્યા. તે પાગલની જેમ અર્ધબાહ્ય અવસ્થામાં ત્યાં પહોંચ્યા અને શ્રીરઘુવીરની સમક્ષ અર્પણ કરેલ નૈવેદ્યને આરોગવા લાગ્યા. જ્યારે શ્રીરામકૃષ્ણ નૈવેદ્યનો અધિકાંશ ભાગ ખાઈ ચૂક્યા હતા ત્યારે બ્રાહ્મણી બાહ્ય ચેતનાવસ્થામાં પાછી આવી. આંખો ખોલતાં જ તેના આનંદનો પાર ન રહ્યો, જે દર્શન તેણે પોતાના ધ્યાનમાં કર્યું હતું, એનું સામેના દૃશ્ય સાથે અદ્‌ભુત સામ્ય હતું.

પોતાના દર્શનની સત્યતાને તત્કાલ પ્રમાણિત થતી જોઈને દિવ્ય આનંદથી તેનાં રોમેરોમ પુલકિત થયાં. તુરત જ શ્રીરામકૃષ્ણની બાહ્યચેતના પાછી આવી અને જ્યારે એમણે અનુભવ કર્યો કે ભાવોન્માદમાં પોતે કંઈક અનુચિત કરી નાખ્યું છે, ત્યારે એમને ગ્લાનિ થઈ અને પોતાના આચરણને માટે ક્ષુબ્ધ થઈને તેઓ બ્રાહ્મણીને કહેવા લાગ્યા, ‘હું આત્મવિહ્વળ થઈને, ખબર નથી કે કેમ આ પ્રકારનું આચરણ કરી બેસું છું?’ ત્યારે બ્રાહ્મણી માતાની જેમ એમને ધીરજ આપતાં બોલી, ‘બાબા, કંઈ નહીં; આ કાર્ય તમે નથી કર્યું, તમારી અંદર જે વિરાજમાન છે, એમણે જ કર્યું છે; ધ્યાનમાં નિમગ્ન થઈને મેં જે જોયું છે, એનાથી મને નિશ્ચય થયો છે કે કોણે આવું કર્યું છે અને એનું કારણ શું છે. હું એ પણ જાણી ગઈ છું કે હવે મારા માટે પહેલાંની જેમ બાહ્યપૂજાની આવશ્યકતા નથી. આટલા દિવસો પછી મારું બાહ્યપૂજન સાર્થક થયું છે.’

આમ કહીને કોઈ પ્રકારનો સંશય કર્યા વિના બ્રાહ્મણીએ અવશિષ્ટ ખાદ્ય-સામગ્રીને દેવતાનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી. ત્યાર પછી પ્રેમાશ્રુ વહાવતી, તે જે રઘુવીર શિલાનું દીર્ઘકાળથી ભક્તિ-ભાવપૂર્વક પૂજન કરતી હતી, એને ગંગાના પવિત્ર જળમાં વિસર્જિત કરી દીધી. એને લાગ્યું કે હવે શિલાના પૂજનની આવશ્યકતા રહી નથી, કારણ કે શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વમાં તે જીવંત રઘુવીરનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહી હતી. આ અલૌકિક ક્રિયા-કલાપોનો એક માત્ર દ્રષ્ટા હૃદયરામ જ હતો, જે આશ્ચર્ય પામીને બધું જોઈ રહ્યો હતો અને કંઈ સમજી શકતો ન હતો કે આ બધું શું થઈ રહ્યું છે.

આ રીતે ભૈરવી બ્રાહ્મણી અને શ્રીરામકૃષ્ણમાં માતા-પુત્રનો સંબંધ સ્થાપિત થઈ ગયો. ભૈરવીને એવું લાગતું કે શ્રીરામકૃષ્ણ નંદલાલા છે અને તે પોતે જાણે માતા યશોદા છે. શ્રીરામકૃષ્ણ પણ એને પોતાની માતા અને ગુરુ સમજતા હતા. આ રીતે તેઓ એકી સાથે એમના ભક્ત અને વિશ્વાસુ સલાહકાર બની ગયાં.

પોતાના હૃદયની આંતરિક પ્રેરણાથી પરિચાલિત થઈને શ્રીરામકૃષ્ણે પહેલાં જ આધ્યાત્મિક અનુભૂતિની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. પરંતુ એમને એથી સંતોષ ન હતો, કારણ કે હજુ પણ ખરા અર્થમાં એમને એ અવસ્થા પર અધિકાર પ્રાપ્ત થયો ન હતો. હવે એમને આ વિદુષી મહિલાના માધ્યમથી સહાય મળી ગઈ, જેમને એમણે પોતાનાં ગુરુ માની લીધાં. તાંત્રિક અને વૈષ્ણવ સાધનાઓમાં નિષ્ણાત ભૈરવી ત્રણ વરસ સુધી યથાર્થ રીતે પોતાના આ અપૂર્વ શિષ્યને પરંપરાગત આધ્યાત્મિક સાધન-પથ પર પરિચાલિત કરતાં રહ્યાં. એમની સહાયતાથી શ્રીરામકૃષ્ણની સમક્ષ આધ્યાત્મિક જીવનનાં નવાં નવાં રહસ્યો પ્રગટ થતાં ગયાં.

આની સાથે જ ભૈરવી બ્રાહ્મણીએ શાસ્ત્રોના અધ્યયનના આધારે શ્રીરામકૃષ્ણના ચરિત્રનું સૂક્ષ્મતાથી અધ્યયન કર્યું અને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલ અવસ્થાઓ સાથે એની તુલના કરી. પોતાનાં દર્શનોથી પણ પુષ્ટ આ જ્ઞાનના આધારે તેઓ એ ઘોષિત કરવા પ્રેરિત થયાં કે એકમાત્ર ઈશ્વરના અવતારમાં જ આવી આધ્યાત્મિક અનુભૂતિઓ અભિવ્યક્ત થઈ શકે છે. વાસ્તવમાં, એ જ પ્રથમ વ્યક્તિ હતી, જેમણે શાસ્ત્રોના આધારે એ પ્રમાણિત કર્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુની જેમ જ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે.

શ્રીરામકૃષ્ણ સાથે પોતાના બાર વર્ષના લાંબા સાન્નિધ્યમાં તેમને પોતાની ઊણપોનું પણ ભાન થયું. પોતાના આધ્યાત્મિક પુત્ર શ્રીરામકૃષ્ણના સ્નેહપૂર્ણ તથા અપ્રતિમ માર્ગદર્શનમાં તેઓ પોતાની ઊણપો દૂર કરવામાં સમર્થ થયાં. શ્રીરામકૃષ્ણ અને ભૈરવી બ્રાહ્મણીની આ મુલાકાત એ બન્નેની આધ્યાત્મિક યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ ઘટના તો છે જ, તદુપરાંત તે આપણને એક એવા આધ્યાત્મિક જીવનનું પણ દર્શન કરાવે છે, જેમાં સઘળું પૂર્ણતા ભણી દોરી જાય છે.

સંદર્ભ

  • 1
    શ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી સાહેબે કરાવ્યું હતું, પછીથી રાણી રાસમણિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૮૬૯ અથવા ૧૮૭૦ માં પોતાના ભત્રીજા અક્ષયના મૃત્યુ સુધી શ્રીરામકૃષ્ણ આ ઓરડામાં રહેતા હતા
  • 2
    તાંત્રિક સંપ્રદાયની એક સંન્યાસિની
  • 3
    આ વિવાહ સગાઈનો જ એક પ્રકાર હતો
  • 4
    શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગ, 2.9.12
  • 5
    દક્ષિણેશ્વરમાં ગંગાકિનારા પર નોબતખાનાની પાસે બકુલનું ઝાડ હોવાને કારણે આવું નામ પડ્યું.
  • 6
    લીલાપ્રસંગ, 2.10.8
  • 7
    વૈકુંથનાથ સાન્યાલ કૃત, ‘શ્રીશ્રીરામકૃષ્ણ-લીલામૃત (બંગાળી) પ્ર.સં., પાના ૩૩
  • 8
    રોમાં રોલાંનાં નીચે જણાવેલ કથનોથી એ સ્પષ્ટ થાય છે કે આ રીતે દૈવયોગથી સંપન્ન થવાવાળી ઘટનાઓ ઉપર વિશ્વાસ કરવામાં આધુનિક સંશયવાદીઓને કેટલી મુશ્કેલીઓ પડે છે, ‘અલિફલૈલામાં વર્ણવેલ કિસ્સાઓની જેમ સહજ સુંદર રૂપમાં વર્ણિત આ મિલન-કથા યુરોપીય વાચકોના મનમાં સંદેહ પેદા કરે છે. મેક્સમૂલરની જેમ તેઓ આ દંતકથામાં શ્રીરામકૃષ્ણના માનસિક વિકાસનું પ્રતીક જુએ છે. પણ છ વર્ષના લાંબા સમય સુધી જે આ શિક્ષિકા રામકૃષ્ણની સાથે રહી, એ સમયમાં એમના વ્યક્તિત્વમાં અનેક એવાં વ્યક્તિગત લક્ષણો દૃષ્ટિગોચર થાય છે (જો કે સર્વદા એમના માટે ગૌરવસૂચક નથી) જેનાથી એ વાતમાં કોઈ સંદેહ રહેતો નથી કે તે વાસ્તવમાં એક સ્ત્રી હતી, અને સ્ત્રી-સુલભ દુર્બળતાઓ પણ એનામાં વિદ્યમાન હતી.’ (રોમાં રોલાં; ‘રામકૃષ્ણ પરમહંસ,’ લોકભારતી પ્રકાશન, અલ્લાહાબાદ, ત્રીજું સં. પાના ૬૨)
  • 9
    રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એનો ફક્ત ‘બ્રાહ્મણી’ કહીને ઉલ્લેખ કરતા હતા. જીવનચરિત્રના લેખકો ઘણી વાર ‘ભૈરવી બ્રાહ્મણી’ અને ઘણી વાર ફક્ત ‘બ્રાહ્મણી’ એવો ઉલ્લેખ કરે છે.
  • 10
    લીલાપ્રસંગ, 3.8.7
  • 11
    એમનાં નામ હતાં – ‘ચંદ્ર’ અને ‘ગિરિજા’. બન્ને બારીસાલ જિલ્લાના હતા, જે અત્યારે બાંગ્લાદેશમાં છે. એમણે કેટલીક આધ્યાત્મિક સાધનાઓ કરી હતી, પરંતુ પછીથી સિદ્ધિઓના ચક્કરમાં પડી ગયા હતા. તે લોકો પછીથી શ્રીરામકૃષ્ણને મળ્યા હતા, એથી એ બન્નેને ઘણો જ લાભ થયો હતો.
  • 12
    આ ફકરો ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત’ (બંગાળી), પાના ૨૪ ઉપર આધારિત છે
  • 13
    ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત (બંગાળી), સ્રોત – હૃદયરામ
  • 14
    ગુરુદાસ બર્મન અનુસાર (શ્રીરામકૃષ્ણ-ચરિત, પાના ૫૫) ભૈરવી બ્રાહ્મણીએ આ અવસર પર ‘શ્રીચૈતન્ય-ચરિતામૃત’માંથી વાક્યો ટાંકીને પોતાના કથનની પુષ્ટિ કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુની જેમ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે.
Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    શ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી સાહેબે કરાવ્યું હતું, પછીથી રાણી રાસમણિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૮૬૯ અથવા ૧૮૭૦ માં પોતાના ભત્રીજા અક્ષયના મૃત્યુ સુધી શ્રીરામકૃષ્ણ આ ઓરડામાં રહેતા હતા
  • 2
    તાંત્રિક સંપ્રદાયની એક સંન્યાસિની
  • 3
    આ વિવાહ સગાઈનો જ એક પ્રકાર હતો
  • 4
    શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગ, 2.9.12
  • 5
    દક્ષિણેશ્વરમાં ગંગાકિનારા પર નોબતખાનાની પાસે બકુલનું ઝાડ હોવાને કારણે આવું નામ પડ્યું.
  • 6
    લીલાપ્રસંગ, 2.10.8
  • 7
    વૈકુંથનાથ સાન્યાલ કૃત, ‘શ્રીશ્રીરામકૃષ્ણ-લીલામૃત (બંગાળી) પ્ર.સં., પાના ૩૩
  • 8
    રોમાં રોલાંનાં નીચે જણાવેલ કથનોથી એ સ્પષ્ટ થાય છે કે આ રીતે દૈવયોગથી સંપન્ન થવાવાળી ઘટનાઓ ઉપર વિશ્વાસ કરવામાં આધુનિક સંશયવાદીઓને કેટલી મુશ્કેલીઓ પડે છે, ‘અલિફલૈલામાં વર્ણવેલ કિસ્સાઓની જેમ સહજ સુંદર રૂપમાં વર્ણિત આ મિલન-કથા યુરોપીય વાચકોના મનમાં સંદેહ પેદા કરે છે. મેક્સમૂલરની જેમ તેઓ આ દંતકથામાં શ્રીરામકૃષ્ણના માનસિક વિકાસનું પ્રતીક જુએ છે. પણ છ વર્ષના લાંબા સમય સુધી જે આ શિક્ષિકા રામકૃષ્ણની સાથે રહી, એ સમયમાં એમના વ્યક્તિત્વમાં અનેક એવાં વ્યક્તિગત લક્ષણો દૃષ્ટિગોચર થાય છે (જો કે સર્વદા એમના માટે ગૌરવસૂચક નથી) જેનાથી એ વાતમાં કોઈ સંદેહ રહેતો નથી કે તે વાસ્તવમાં એક સ્ત્રી હતી, અને સ્ત્રી-સુલભ દુર્બળતાઓ પણ એનામાં વિદ્યમાન હતી.’ (રોમાં રોલાં; ‘રામકૃષ્ણ પરમહંસ,’ લોકભારતી પ્રકાશન, અલ્લાહાબાદ, ત્રીજું સં. પાના ૬૨)
  • 9
    રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એનો ફક્ત ‘બ્રાહ્મણી’ કહીને ઉલ્લેખ કરતા હતા. જીવનચરિત્રના લેખકો ઘણી વાર ‘ભૈરવી બ્રાહ્મણી’ અને ઘણી વાર ફક્ત ‘બ્રાહ્મણી’ એવો ઉલ્લેખ કરે છે.
  • 10
    લીલાપ્રસંગ, 3.8.7
  • 11
    એમનાં નામ હતાં – ‘ચંદ્ર’ અને ‘ગિરિજા’. બન્ને બારીસાલ જિલ્લાના હતા, જે અત્યારે બાંગ્લાદેશમાં છે. એમણે કેટલીક આધ્યાત્મિક સાધનાઓ કરી હતી, પરંતુ પછીથી સિદ્ધિઓના ચક્કરમાં પડી ગયા હતા. તે લોકો પછીથી શ્રીરામકૃષ્ણને મળ્યા હતા, એથી એ બન્નેને ઘણો જ લાભ થયો હતો.
  • 12
    આ ફકરો ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત’ (બંગાળી), પાના ૨૪ ઉપર આધારિત છે
  • 13
    ગુરુદાસ બર્મન લિખિત ‘શ્રીરામકૃષ્ણ-ચરિત (બંગાળી), સ્રોત – હૃદયરામ
  • 14
    ગુરુદાસ બર્મન અનુસાર (શ્રીરામકૃષ્ણ-ચરિત, પાના ૫૫) ભૈરવી બ્રાહ્મણીએ આ અવસર પર ‘શ્રીચૈતન્ય-ચરિતામૃત’માંથી વાક્યો ટાંકીને પોતાના કથનની પુષ્ટિ કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુની જેમ શ્રીરામકૃષ્ણ પણ ઈશ્વરનો અવતાર છે.