એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત કરતો. એક દહાડો અચાનક આકાશમાં કાળું વાદળ ચડી આવ્યું ને પછી તરત જ, જોરદાર પવન એ વાદળને ઘસડી ગયો. એટલે એ સાધુ પોતાની ઓરડીમાંથી બહાર આવ્યો અને નોબતખાનાની ઓસરીની આગળ આવી હસવા ને નાચવા લાગ્યો. એટલે મેં એને પૂછ્યું, ‘તમારી ઓરડીમાં બધો સમય તમે શાંતિમાં પસાર કરો છો તે આજે આટલા આનંદથી નાચો છો શા માટે?’ એ સાધુએ જવાબ આપ્યો, ‘જીવનને આવરી લેતી માયા આવી છે!’
આકાશ પ્રથમ ચોક્ખું છે, અચાનક એક વાદળું એને કાળું ભમ કરી દે છે અને વળી તરત જ, પાછું બધું પહેલાંના જેવું બની જાય છે.
Your Content Goes Here