રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી.
લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો. આ નિકશા ઘરડી છે ને એણે પોતાના કેટલાય પુત્રોને મૃત્યુ પામતા જોઈ ખૂબ પીડા સહન કરી છે છતાંય, પોતાનો જીવ જવાના ડરે એ કેવી નાસી રહી છે?’
રામે એને પાસે બોલાવી અને પૂછ્યું, ‘તું શા માટે નાસતી હતી?’
નિકશાએ ઉત્તર આપ્યો : અત્યાર લગી હું જીવતી છું તો તમારી આ બધી લીલા જોવા પામી. પૃથ્વી પર હજી જે બીજી લીલા તમે કરશો તે જોવા જીવતી રહેવા માટે હું લાંબું જીવવા માગું છું.’
Your Content Goes Here