એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં. શ્રદ્ધા રાખી પાણી ઉપર ચાલવા માંડ. પણ ધ્યાન રાખજે – શ્રદ્ધા ગુમાવ્યા ભેગો તું ડૂબી જશે.’ એ માણસ સરળતાથી પાણી ઉપર ચાલવા લાગ્યો. પોતાના કપડાને છેડે શું બાંધ્યું છે તે જોવાની તીવ્ર ઇચ્છા તેને અચાનક થઈ. ખોલીને જોયું તો માત્ર રામનું નામ લખેલું એક પાંદડું. ‘આ તે શું છે?’ એને વિચાર આવ્યો. ‘માત્ર રામનું નામ!’ જેવો એના ચિત્તમાં સંશય પેઠો તેવો એ ડૂબી ગયો.
Your Content Goes Here