એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું તારી પર પ્રસન્ન નહીં થઉં.’ પણ આ તો અડિયલ હતો. થોડા દિવસ પછી શિવ ફરી વાર પ્રગટ થયા. આ વેળા એમણે હરિહર – અર્ધું શિવનું અને અર્ધું વિષ્ણુનું – રૂપ લીધું હતું. આ જોઈ પેલો માણસ અર્ધો રાજી થયો અને અર્ધો નારાજ થયો. શિવરૂપ સમક્ષ એણે ભેટ ધરી પણ, વિષ્ણુરૂપને કશું ન ધર્યું. એણે શિવસ્વરૂપ સામે ધૂપ ધર્યો ત્યારે, એ ધૂપ વિષ્ણુનાં નસકોરાંમાં ન પ્રવેશે એ માટે એણે એ વિષ્ણુરૂપનાં નસકોરાં દબાવી રાખ્યાં. એટલે શિવ બોલ્યા: ‘તારી ધર્માંધતા જાય એવી જ નથી. આવું દ્વિવિધ રૂપ લઈને તને ખાતરી કરાવવા માટે હું પ્રયત્ન કરતો હતો કે બધાં દેવદેવીઓ એક જ સત્ત્વનાં જુદાં જુદાં પાસાં છે. તું એ સબક શીખ્યો નહીં એટલે, તારી ધર્માંધતા માટે તારે ભોગવવું પડશે ને તે, લાંબા કાળ સુધી.’ એ માણસ ત્યાંથી નીકળી એક ગામડે ગયો. વિષ્ણુનો એ મહાન દ્વેષી બની ગયો. આ જાણતાં, ગામનાં છોકરાંઓ એના કાન પાસે આવી મોટેથી ‘વિષ્ણુ’ એમ બોલવા લાગ્યાં. આથી ક્રોધે ભરાઈને એ માણસે પોતાના કાને બે ઘંટ લટકાવી દીધા અને છોકરાઓ ‘વિષ્ણુ, વિષ્ણુ’ એમ રાડો પાડે ત્યારે એ ઘંટ વગાડે જેથી પેલા અવાજો એના કાનમાં પ્રવેશે નહીં. એટલે પછી એ ઘંટાકર્ણ નામે ઓળખાવા લાગ્યો.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.