‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે જુએ.
એટલે એક દિવસ તેણે તેના બાપને પૂછ્યું: ‘બાપા, મારો વર ક્યાં?’
તેનો બાપ કહે, ‘દીકરી! તારો વર ગોવિંદ. તેમને બોલાવે તો તે દર્શન દે.’
તે છોકરી એ વાત સાંભળીને ઓરડામાં બારણાં વાસીને ગોવિંદને બોલાવે અને કહે ‘ગોવિંદ, તમે આવો, મને દર્શન આપો, તમે કેમ આવતા નથી?’
નાની બાલિકાનું એ રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. આવીને તેને દર્શન દીધાં.
‘આવી બાળકની જેવી શ્રદ્ધા! બાળક માને જોવા માટે જેવું આતુર થાય, તેવી આતુરતા જોઈએ. એ આતુરતા આવે તો ઈશ્વર-દર્શનનો અરુણોદય થઈ ચૂક્યો સમજવો. ત્યાર પછી સૂર્ય ઊગવાનો જ! એ આતુરતાની પછી તરત જ ઈશ્વર-દર્શન.
Your Content Goes Here