એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના શબ્દો સાચા પડ્યા. એ જ વેળા દૂર એક મોટું જહાજ જતું હતું અને એના બધા સઢ ખુલ્લા હતા. અને જેવો પવન થંભી ગયો તેવું એ ડૂબી ગયું અને એમાં બેઠેલા બધા મુસાફરોને સાથે લેતું ગયું.
હવે આ બધા પ્રવાસીઓના મોતનું પાપ આ સિદ્ધને લાગ્યું, પરિણામે એની બધી શક્તિઓ હરાઈ ગઈ અને એ નરકવાસી બન્યો.
Total Views: 41
Your Content Goes Here